હાલો માનવીયો રે, ધજાળા ધામમાં
રાગ- હાલો માનવીયો રે ગરવા ગિરનારમાં…
હાલો માનવીયો રે, ધજાળા ધામમાં,
અવતર્યો અજોધાનો રામ, માનવીયો રે..
જાદર ગોરખ ને લોમેવની ચેતના,
પીરાઈ વડી પરચાળી, માનવીયો રે..
જગતાધાર દેવ બેઠો, લોમેવનાં રૂપમાં,
પુરે છે સઘળી આશ, માનવીયો રે..
નકળંગી નાથ બેઠો છે, સંગ મા,
લીલુંડા ઘોડે અસવાર,માનવીયો રે..
કોંડિલા કાન બેઠા, રાધે ના સંગ મા,
જાણે દ્વારિકાને દરબાર, માનવીયો રે..
સ્મિત ધરી મુખે જયાં લોમેવ બેઠા છે,
જાણે અજોધા ના અવિનાશી, માનવીયો રે..
ગૌસેવા અશ્વસેવાના વ્રતો લીધાં છે,
પીરસાય પ્રેમથી ભાણા, માનવીયો રે..
ભરતબાપુ અમારે ભોળા ભગવાન છે,
દર્શનથી દુઃખો ટળી જાય, માનવીયો રે..
ભાવવંદના:- જયરાજ ખવડ Jayraj Khavad (ખીટલા)