શ્રી લોમેવધામ એક પવિત્ર સ્થાન અને પુર્વજ સંતોની તપોભૂમિ છે પાંચાળનાં પીરાણા સાથે લોકોની આગવી શ્રધ્ધા જોડાયેલી છે. શ્રધ્ધા ભકિતનુ કેન્દ્વ અને સંસ્કારધામ બની રહયુ છે.
અહી અવાર નવાર યોજાતા સત્સંગ ભજન કિર્તન સંતવાણી અને અને વિદ્વાનોની વ્યાખ્યાન માળાઆે દ્વારા માનવ સમાજને ઉતમ સંસ્કારીતા તરફ વાળવાની પ્રવૃતિઓ થઈ રહી છેં. ભજન મંડળીઆે કિર્તન સત્સંગ દ્વારા જ્ઞાનગંગામાં સ્નાન કરી સેવક સમુદાય ઉતમ જીવન સદભાવ સદગુણ અને સંસ્કારોનુ આગવુ ભાથુ મેળવે છે. પ્રભાત અને સંધ્યા આરતી ટાણે નગારાનાં ગડગડાટ અને ઝાલરનાં મધુર ધ્વની સાથે થતી ભવ્ય આરતી એ જીવનભરનુ સંભારણુ બની રહે છે.