ધજાળાની પાવનભૂમિ અને લોમેવધામની પવિત્ર નિશ્રામાં સામાજિક ક્ષેત્રે ખુબજ કામ થઈ રહયુ છે, સમાજમાંથી અંધશ્રધ્ધાઆે અને સમાજની જુની અને નુકશાનરૂપ રૂઢીઆે માંથી મુકિત આપી સમાજને નુતનદ્રષ્ટિ પુરી પાડી આગવુ દિશાદર્શન પુ. ભરતબાપુનાં ઉન્નત વિચાર થકી મળી રહયુ છે
આ ઉપરાંત સમાજમાં ઘર કરી ગયેલા દારૂણ વ્યસનો જેવા કે પાન માવા બીડી દારૂ સિગારેટ અફિણ અને ઠાલીયા જેવા વ્યસનો દુર કરવાના પ્રયત્નો થઈ રહયા છે અવારનવાર પૂ. બાપુનાં પ્રેરણા સંદેશાઆે દ્વારા સંતોનાં પ્રવચનો અને ધર્મસભાઆે થકી વ્યસનમુકિત અભિયાન ચલાવી રહયા છે જેમા હજારોની સંખ્યામાં સેવકો સ્વયંભુ જોડાઈ ઠાકરનાં ચરણે વ્યસનમુકત બની સદભાવપુર્ણ અને સાદગીપુર્ણ જીવન જીવવાનો નિર્ધાર કર્યો છે.
ખાસ પૂજય બાપુએ સમાજમાંથી દારૂનુ દુષણ દુર થાય તે માટે ખુબજ મુશ્કેલ સંકલ્પ કરેલ કે જયાં સુધી મનમાં ધારેલી સંખ્યા મુજબનાં લોકો દારૂનું વ્યસન ઠાકરના ચરણે નાં મુકે ત્યાં સુધી પગમાં પગરખા નહી પહેરૂ… પુ. મહંતશ્રી ના આવા કઠીન સંકલ્પ ત્રણથી ચાર માસ સુધી ચાલ્યો, સમાજનાં હિતાર્થે પૂ. ભરતબાપુ ઉઘાડા પગે રહી સમાજને ઉતમ રાહે દોરવાનો પ્રયત્ન કર્યો સમાજે એની અસરકારક નોધ લઈ અને આ સંકલ્પમાં આશરે ૧૦૦૦ (એક હજાર) જેટલા સેવકો સંકલ્પબધ્ધ બન્યા એ કાયમી વ્યસનમુકત બની અનેરી ઠાકરભકિતનાં દર્શન કરાવ્યા પૂ. બાપુની આવા તપોબળના આધારે હજારો પરિવારોનુ કલ્યાણ થયુ.