પૂ. બાપુનાં સાનિધ્યમાં શ્રી લોમેવધામ અવિરત ભોજનાલય ચાલી રહયુ છે ભકિતપરંપરાની દિવ્યવાણી “ટુકડો ત્યાં હરિ ઢુકડો” ની ભાવનાને ચરિતાર્થ કરતુ અન્નક્ષોત્ર અહી અહર્નિશ ચાલી રહયુ છે ઠાકર પ્રસાદનો અનેરો લ્હાવો લઈ હજારોનો માનવ મહેરામણ જીવનની ધન્યતા અનુભવે છે
દર માસની બીજ અને અમાસનાં દિવસે વિપુલ પ્રમાણમાં સેવકો ભજન અને ભોજનનો લાભ લઈ આનંદીત થઈ ઠાકરના ચરણે મસ્તક નમાવી, ધન્યતા અનુભવે છે.
આ સાથે એક પ્રાચીન શ્રધ્ધા પણ જોડાયેલ છે જુના સ્થાનકે મુળપુરૂષ પુ. લોમબાપુ ના હસ્તે શ્રી હડકાઈ માતાજીનુ સ્થાપન કરેલુ આ સ્થાને કોઈને કુતરૂ કરડયુ હોઈ અથવા તાવ તરીયો કે રોગમાં પુ. બાપુનાં હાથની પ્રસાદી છાસનું પાન કરવાથી હડકવા અને દરેક વ્યાધી માંથી તરતજ મુકિત મળી જતી હતી, એ જ શ્રધ્ધાભાવ આજ પણ એ સ્થાને જોડાયેલ છે. આ ઠાકરની અસીમ કૃપા અને એક સંત ચેતનાની ઝાંખી કરાવી જાય છે, આવા અઢળક પરચાઆે જાગતી જયોતું ની સાક્ષી પુરે છે. દુ:ખ સાંભળતા વેત જ જેની કૃપા વરસે એવો ઠાકર એટલે જ આ પીરાણાને પાંચાળ “રોકડીયા ઠાકર” તરીકે સ્મરે છે.