શ્રી લોમેવધામ ધજાળાનાં દિવ્ય પરિસરમાં ગૌસેવા સંવર્ધન અને પાલનનું અનેરૂ કાર્ય થઈ રહયુ છે જગ્યામાં આશરે પાંત્રીસેક પશુઆેનું પાલન અને નિભાવ થઈ રહયો છે આ સાથે જગ્યામાં સૌનું આકર્ષણનું કેન્દ્વ બનેલી સજળ ત્રિનેત્રી ગૌગંગા ના દર્શન માટે શ્રધ્ધાળુઆે દૂર દૂરથી ભાવાકર્ષણથી આવે છે ત્રિનેત્રી ગૌગંગાને ત્રણ નેત્ર છે અને સામાન્ય નેત્રની જેમ સજીવ પાણી ઝરે છે અને ત્રિનેત્રી તો ખરી સાથે સાથે ત્રિશીંગી પણ છે અને આ ત્રણ શિંગડા ગાયની શોભામાં અભિવૃધ્ધી કરે છે. સૌ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અને જગ્યાની દિવ્યતાનો અનુભવ કરે છે
આમ પૂ. બાપુની અને જગ્યાની સેવાકિય પ્રવૃતિમાં આ ગૌસેવાની પ્રવુતિ ધ્યાનાકર્ષક છે.